10

રક્ષાબંધન ક્વિઝ

ભાસ્કરાચાર્યએ તેમના પ્રખ્યાત ગણિત પુસ્તકનું નામ લીલાવતી રાખ્યું હતું. લીલાવતી કોણ હતી તેના કોઈ દસ્તાવેજી પુરાવા નથી. લોકપ્રિય કથાઓમાં તે તેમની પુત્રી હતી, પરંતુ લીલાવતીને સંબોધવાની રીતના આધારે વિદ્વાનો માને છે કે તે તેમની પત્ની હોઈ શકે છે. આ પુસ્તક લીલાવતીને શ્રદ્ધાંજલિ હતી, તેમાં કોઈ શંકા નથી.
યોગ્ય રીતે જ STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) માં ભારતીય મહિલાઓ લીલાવતીના વારસો છે. આપણી પાસે વૈદિક વિચારકો, મિસાઇલ લોન્ચર્સ, સંશોધકો, નવસર્જકો અને વૈજ્ઞાનિક સાહસિકો હતા. રક્ષાબંધન પર, STEM પરંપરાને આગળ ધપાવનારી પ્રબળ મહિલાઓનું સન્માન કરીયે.
‘ભારતની મહિલા વૈજ્ઞાનિકો’ (નેશનલ બુક ટ્રસ્ટ) અને ‘લીલાવતીની પુત્રીઓ’ (ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સિસ) બે અદ્ભુત પુસ્તકો છે જે આ વારસાને દસ્તાવેજીકૃત કરે છે. અમારી ક્વિઝ આ બે પુસ્તકોમાંથી લેવામાં આવી છે. છબીઓ વિકિમીડિયા કોમન્સમાંથી છે.

૧. ‘બ્રહ્મવાદિની’ઓ એ વૈદિક યુગની મહિલા ઋષિઓ છે. નીચેનામાંથી કોણ તે પૈકીની એક છે અને અગસ્ત્ય મુનિની પત્ની છે?

૨. રુસા મધ્યયુગીન આયુર્વેદિક ચિકિત્સક હતાં. પ્રખ્યાત હારૂન અલ-રશીદના દરબારમાં તેમના કાર્યને વિશેષ સ્થાન પ્રાપ્ત હતું. તેમના કાર્યનો કઈ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો?

3. ગાર્ગી અને મૈત્રેયી પ્રાચીન કાળની બે સુપ્રસિદ્ધ મહિલા દાર્શનિકો છે. કયા શહેરમાં તમને તેમના નામે બે કોલેજો જોવા મળશે?

૪. કમલા સોહોની ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે પીએચ.ડી. (PhD) મેળવનાર પ્રથમ મહિલા હતાં. અન્ય એક પ્રખ્યાત વૈજ્ઞાનિકે શરૂઆતમાં તેમને પોતાની સંસ્થામાં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં તેમને સામેલ કર્યા હતા. આ વૈજ્ઞાનિક કોણ હોઈ શકે?

5. પાશ્ચાત્ય તબીબી ડિગ્રી મેળવનાર પ્રથમ મહિલા. 9 વર્ષની વયે લગ્ન, 14 વર્ષની વયે સંતાન ગુમાવ્યું, અભ્યાસ માટે 18 વર્ષની વયે ભારત છોડ્યું, 21 વર્ષની વયે તબીબી ડિગ્રી મેળવી અને 21 વર્ષની વયે અવસાન પામ્યા. તેઓ કોણ છે?

6. રુખમાબાઈ તબીબી વ્યવસાય કરનાર બીજી મહિલા હતાં. તે પહેલાં તેમણે સામાજિક સુધારણાના ક્ષેત્રે સફળતાઓ મેળવી હતી. તેમણે કઈ બાબત માટે જાણીતી લડત આપી હતી?

૭. તેમને “અગ્નિ પુત્રી” કહેવામાં આવે છે. તેઓ વાસ્તવમાં ‘અગ્નિ-૪’ અને ‘અગ્નિ-૫’ (મિસાઇલો)ના જનની (માતા) છે અને ભારતીય મિસાઇલ કાર્યક્રમના પ્રથમ મહિલા નિર્દેશક હતાં. તેઓ કોણ છે?

8. 56 વર્ષની વયે, મંગલા મણિ ૧૫ મહિનાના અત્યંત કઠિન અભિયાનમાં એકમાત્ર મહિલા હતાં. તેઓ ક્યાં હતાં?

9. સર્કસ કલાકારને ત્યાં જન્મેલી આ મહિલાએ ઈન્દિરા ગાંધીને પાઠ ભણાવવા માટે તેમની સામે ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ 546372891^23 માટે જાણીતી છે. આ કોણ છે?

૧૦. અન્ના મણિ પાસે એમએસસી ન હોવાથી પીએચડી ગુમાવી દીધી. ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં અગ્રણી, તેમના ઇન્સ્ટ્રુમેન્ટ ડિઝાઇન કયા ક્ષેત્રમાં સૌથી વધારે ઉપયોગ થાય છે?

11. કણ ભૌતિકવિજ્ઞાન (particle physics) ક્ષેત્રે વિભા ચૌધરીના કાર્યનો ઉપયોગ બે નોબેલ પુરસ્કાર વિજેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના યોગદાનની ક્યારેય નોંધ લેવામાં આવી ન હતી. આજે તેમને કેવી રીતે યાદ કરવામાં આવે છે?

12. આ રાજમાતા (ક્વીન રીજન્ટ) દ્વારા આપવામાં આવેલી જમીન અને એક ઉદ્યોગપતિની અડધી સંપત્તિ વડે આ વિશ્વસ્તરીય સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ કઈ સંસ્થા છે?

બહાર નીકળો

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In