6

વર્ષાઋતુની ક્વિઝ

મોડો અને મોળો (નબળો), પણ આખરે વરસાદ આવી પહોંચ્યો છે. વૈદિક સાહિત્ય અનુસાર, ઇન્દ્ર વરસાદ લાવ્યા હતા અને વરુણ જળના દેવતા હતા. ઇન્દ્ર અત્યારે એક ચિત-પરિચિત દેવતા છે, પરંતુ વરુણ અંગેની જાણકારી લગભગ અદ્રશ્ય થઈ ગઈ છે. વરુણની વિશેષતાઓનું વર્ણન, વૈદિકકાળ અને તે પછીના દર્શનશાસ્ત્રોમાં પણ જોવા મળે છે. આ ક્વિઝમાં, ચાલો આપણે મહાન દેવતા વરુણ વિષે જાણકારી પ્રાપ્ત કરીએ. દિલ્હી યુનિવર્સિટીમાં ‘ભારતીય પૌરાણિક કથાઓમાં ઈન્દ્ર અને વરુણ’ શીર્ષક અંતર્ગત પ્રકાશિત, ડૉ. ઉષા ચૌધરીની વિસ્તૃત પીએચડી થીસીસ ઉપર આ ક્વિઝ આધારિત છે.

વરુણનો શાબ્દિક અર્થ છે ‘જે આવરી લે છે’. આ (વાત) કયા વેદાંતિક વિચાર સાથે લગભગ સુસંગત છે?

ઇન્દ્ર-વરુણ નો દ્વૈતભાવ, સાંખ્યની ફિલસૂફીમાં પણ પ્રતિબિંબિત થાય છે. આ દ્વૈતભાવ શું છે?

વરુણ ‘ઋત’ અથવા પ્રકૃતિના લયનો સમર્થક છે. પ્રાકૃતિક લયની સમાન કામગીરીનો સંદર્ભ કયા જાણીતા હિન્દુ સિધ્ધાંતમાં જોવા મળે છે ?

જ્યાં પણ બે લોકો ભેગા થઈને કાવતરું ઘડે છે અને પોતે એકલા જ (કાવતરાની) વાત જાણે છે, તેમ માને છે, ત્યાં રાજા વરુણ તેમની બધી યોજનાઓ જોવા અને સાક્ષીરુપ થવા માટે ત્રીજા સ્થાને હોય છે. તમને આ ઋચા ક્યાંથી મળે છે?

વરુણ એક શિક્ષક પણ છે. તૈત્તિર્ય ઉપનિષદમાં ભૃગુ ઋષિને તે એક લોકપ્રિય સિદ્ધાંત સમજાવે છે. આ કયો સિદ્ધાંત છે?

વિષ્ણુનું કયું નામ, બ્રહ્માંડના જળના સ્વામી, વરુણ ને મળતું આવે છે?

ગીતામાં, કૃષ્ણ પોતાનું વર્ણન નાગોમાં ‘અનંત’ અને નિયમન કરનારાઓમાં ‘યમ’ તરીકે કરે છે. તેઓ પોતાનું વર્ણન વરુણ તરીકે કોની વચ્ચે કરે છે?

આયુર્વેદ અનુસાર, જળના દેવતા તરીકેના તેના ચિત્રણને અનુરૂપ, વરુણ ઔષધિ કયા રોગનો ઉપચાર છે?

વરુણદેવે અર્જુનને ભેટમાં આપેલા દિવ્ય ધનુષનું નામ શું છે?

હિન્દુ સિંધીઓના કયા દેવતાને વરુણદેવનો અવતાર માનવામાં આવે છે?

પારસીઓના કયા સર્વોચ્ચ દેવતા વરુણદેવના ગુણો ધરાવે છે?

ઋગ્વેદમાં વરુણ અને ઇન્દ્રની સાથે કયા દેવતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તે દેવતાની પૂજા પ્રાચીન રોમમાં પણ કરવામાં આવતી હતી.

સમાપન નોંધ
વિદ્વાનો ક્યારેક હિંદુ ધર્મની વૈદિક, ઉપનિષદિક અને ઇતિહાસ-પુરાણ પરંપરાઓ વચ્ચેના તફાવતો પર ભાર મૂકે છે. પરંતુ વરુણદેવની કથા સૂચવે છે તેમ, દાર્શનિક અને ધાર્મિક વિચારોમાં એક સાતત્ય રહેલું છે. વરુણદેવ વિવિધ ગુણો સાથે સંકળાયેલા છે. આ તમામ ગુણો આજે પણ અલગ-અલગ નામો અને પરિપ્રેક્ષ્યોમાં અસ્તિત્વ ધરાવે છે. એ પણ નોંધપાત્ર છે કે વિસરાઈ ગયેલી મિત્ર// મિથરા -વરુણની યુગલ-જોડીએ એક સમયે લગભગ સમગ્ર જાણીતા વિશ્વને પ્રભાવિત કર્યું હતું.

બહાર નીકળો

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In